રાજ્યમાં મગફળીને લઈને અવાર નવાર અહેવાલો સામે આવતા હોય છે. ત્યારે હવે ખેડૂતોના મગફળીના પેમેન્ટને લઈને રાજકારણ ગરમાયું છે. ખેડૂતોના વ્હારે ફરી એકવાર કોંગ્રેસના નેતા લલિત વસોયા આવ્યા છે. ખેડૂતોની મગફળીના પેમેન્ટને લઈને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ લેખિતમાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.
મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય લલિત વસોયાએ અર્ધનગ્ન હાલતમાં વિરોધની ચીમકી ઉચારી છે. તેમજ ધોરાજી, ઉપલેટાના ખેડૂતોને મગફળીનું પેમેન્ટ ચુકવવા માંગ કરી છે. તેમજ 8 દિવસમાં પેમેન્ટ નહીં ચુકવાય તો આપઘાતની ચીમકી આપી છે.
કોંગ્રેસના નેતા લલિત વસોયાએ 8 દિવસમાં પેમેન્ટ નહીં ચુકવાય તો આપઘાતની ચીમકી આપી છે. ધોરાજીના 598, ઉપલેટાના 121 ખેડૂતોને મગફળીના પેમેન્ટ ચુકવાયું નથી. આ સિવાય મંત્રી જયેશ રાદડિયાને પણ લેખિતમાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મગફળીના પેમેન્ટને લઈને અવાર નવાર રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે મંત્રી જયેશ રાદડિયાએ લેખિતમાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ પણ ખેડૂતોને મગફળીનું પેમેન્ટ 8 દિવસમાં નહિ ચૂકવાય તો વિરોધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ધોરાજીના 598, ઉપલેટાના 121 ખેડૂતોને ડિસેમ્બરમાં વેચેલ મગફળીનું પેમેન્ટ હજુ સુધી મળ્યું નથી. જેના કારણે ધારાસભ્ય લલિત વસોયાએ અર્ઘનગ્ન હાલતમાં વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.