ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદમાં પરંપરાગત જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય 145મી રથયાત્રાને હાઇટેક બનાવવા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત પોલીસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોન મેપિંગ સાથે થ્રીડી મેપિંગ દ્વારા રથયાત્રા પર નજર રાખશે. 22 કિલોમીટરના રથયાત્રાના રૂટનો અભ્યાસ કર્યા બાદ સંપૂર્ણ રોડ મેપ તૈયાર કરવા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.