ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટમાં મોટો ખુલાસો, બગડ્યું માનસિક સંતુલન, પીધું કોકેન, પગ તૂટ્યા વગર પ્લાસ્ટર લગાવીને ફરતો હતો
પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા પ્રધાન અબ્દુલ કાદિર પટેલે શુક્રવારે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનના પેશાબના નમૂનાઓમાં આલ્કોહોલ અને કોકેઈન મળી આવ્યા છે. કાદિરે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે 9 મેના રોજ ઈમરાન ખાન નિયાઝીને મેડિકલ બોર્ડ સમક્ષ તપાસ માટે રજૂ કરવામાં આવ્યો હતો. NAB દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો.
ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થયા બાદ કરાયેલા મેડિકલ ટેસ્ટમાં આલ્કોહોલ અને કોકેઈનના ઉપયોગનો ખુલાસો થતાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલે પાંચ ડોક્ટરોની પેનલ દ્વારા તૈયાર કરાયેલા પૂર્વ પીએમના મેડિકલ રિપોર્ટ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.
અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ થયા બાદ ઈમરાન ખાનના યુરિન સેમ્પલ ઈસ્લામાબાદના પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લેવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે પ્રારંભિક તબીબી અહેવાલોમાં “આલ્કોહોલ અને કોકેન” જેવા “ઝેરી રસાયણો” નો ઉપયોગ હોવાનું બહાર આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, મંત્રીએ ગયા વર્ષે વઝીરાબાદમાં હત્યાના પ્રયાસ બાદ ઈમરાનના પગમાં ફ્રેક્ચર હોવાના દાવાઓને પણ ફગાવી દીધા હતા. તેણે કહ્યું કે તે એવા ડોકટરો સામે શિસ્તબદ્ધ પગલાં લેશે જેમણે “ખોટી રીતે” જાહેર કર્યું કે તેનો પગ તૂટી ગયો છે.
ઈમરાન ખાનની 9 મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટ સંકુલમાં અર્ધલશ્કરી દળ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર દેશમાં અશાંતિ ફેલાઈ હતી. ગયા વર્ષે સત્તા પરથી હટાવવામાં આવેલા ખાનને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તમામ કેસમાં તેમની ધરપકડ સામે રક્ષણાત્મક કવચ હતું.
તેણે પૂછ્યું, “ગોળીના ઘા માટે પ્લાસ્ટર કોણ લગાવે છે, દુનિયામાં એવું કયું પ્લાસ્ટર છે જે છ મહિના સુધી પગ પર રહે છે. કાદિરે કહ્યું કે જે ડૉક્ટરોએ ખાનને છ મહિના સુધી પ્લાસ્ટર પહેરવાની સલાહ આપી હતી તેમને પણ બોલાવવામાં આવશે.