ચંદીગઢ: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 20 મે, 2023ના રોજ એટલે કે આજરોજ ચંદીગઢના પ્રવાસે જશે. જ્યાં તેઓ પંજાબ યુનિવર્સિટીના 70મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહશે.
તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જેઓ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે, યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો અને સેનેટ સભ્યો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે.
ઉપરાષ્ટ્રપતિ પંજાબ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન, નોન-ટીચર્સ એસોસિયેશન અને સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યો સાથે પણ વાતચીત કરશે.ઉપરાષ્ટ્રપતિ સિટી બ્યુટીફુલના તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન પંજાબ રાજભવનની પણ મુલાકાત લેશે.
શુક્રવારે પંજાબ યુનિવર્સિટીમાં 70માં દીક્ષાંત સમારોહનું રિહર્સલ થયું હતું. આ દરમિયાન મુખ્ય કાર્યક્રમની જેમ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ અને PU ચાન્સેલર જગદીપ ધનખર શનિવારે દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.તેઓ 501 પીએચડી ઉમેદવારોને ડિગ્રીઓ આપશે.આ દરમિયાન 312 અનુસ્નાતક, 73 સ્નાતકો 244 વિદ્યાર્થીઓને પદવીઓ સાથે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ સાથે, UIET ના BE કોર્સમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ઉમેદવારને 30,000 રૂપિયાનો અભિષેક સેઠી મેમોરિયલ કેશ એવોર્ડ આપવામાં આવશે.