સમગ્ર રાજ્યમાં એપ્રિલના અંતિમ દિવસોમાં રાહત જોવા મળી રહી છે કારણ કે કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 70 નવા પોઝિટિવ કેસ સામે 195 દર્દીઓને રજા આપવામાં આવી છે.નવા કેસની માહિતી જોઈએ તો અમદાવાદ-14, વડોદરા 16, સુરત 16, સાબરકાંઠા 6, આણંદ-4, વલસાડ-3, 70 1/1 કેસ સહિતના પોઝિટિવ કેસ કચ્છ-2, પંચમહાલ, ગાંધીનગર, અમરેલી, બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાકોટમાં નોંધાયા છે. જેની સામે 195 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1087 સારવાર હેઠળ છે. રાજ્યનો પોઝિટિવ દર 99.06 ટકા છે.