(GNS),03
આ સમયે દુ:ખનો પહાડ તૂટ્યો છે. ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ વ્યથિત છે. આજની સવારની શરૂઆત એક દુઃખદ સમાચાર સાથે થઈ. ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે અને 900 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં લાંબી લાઈનો છે.
તમને દેશ અને ઓડિશાના લોકો પર ગર્વ થશે કે આ લોકો અહીં મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવ્યા છે. આ લોકો રક્તદાન કરીને લોકોનો જીવ બચાવી રહ્યા છે. અકસ્માત બાદ આ લોકોએ જાતે જ નક્કી કર્યું કે આ લોકો રક્તદાન કરવા જશે. ન તો સરકારે કહ્યું કે ન કોઈએ. બસ દિલે કહ્યું કે દરેક જીવ બચાવવો છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 900થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં ખૂબ જ લોહીની જરૂર પડે છે. ઓડિશાના લોકો મદદ માટે આગળ આવ્યા છે. આ આફત દરમિયાન લોકોનો જીવ બચાવવા માટે રક્ત આપી રહ્યા છે. ઓડિશાની હોસ્પિટલોમાં લાંબી કતારો લાગી છે. આટલી સંખ્યામાં લોકો અહીં કેવી રીતે આવી રહ્યા છે તે જોઈને ડૉક્ટરો પણ ચોંકી ગયા. જ્યારે તેમને ખબર પડી કે આ બધા લોકો રક્તદાન કરવા આવ્યા છે. તેઓ ઘાયલોના જીવ બચાવવા માંગે છે. કહેવાય છે કે મુશ્કેલ સમયમાં પણ જ્યારે આવી તસવીર જોવા મળે છે તો થોડી રાહત થાય છે.
ઓડિશાના સીએમ નવીન પટનાયક, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચ્યા બાદ રાહત કાર્ય પર નજર રાખી રહ્યા છે. દરમિયાન, ઓડિશાની ઘણી હોસ્પિટલોમાં રક્તદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા છે. આવા અકસ્માતોમાં, વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે ઘાયલોના વધુ મૃત્યુ થાય છે. હોસ્પિટલ નજીક લોહીની તાતી જરૂરિયાત છે. 280 લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ આંકડો વધુ આગળ ન વધે. એટલા માટે લોકોએ તેમના મિત્રો સાથે મળીને રક્ત આપવાનું નક્કી કર્યું. આ તસવીર ખુશીઓ આપનારી છે. રાહત આપનારી છે.