શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે દીકરીઓ ક્ષણિક લાગણીના કારણે ‘લવ જેહાદ’ની જાળમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરે છે. આ ફિલ્મ આતંકવાદના વિવિધ સ્વરૂપો પર પણ પ્રકાશ પાડે છે, એમ તેમણે ઉમેર્યું હતું. કર્ણાટકના ચૂંટણી રાજ્યના બેલ્લારીમાં એક રેલીમાં વડા પ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું, દેશનું આટલું સુંદર રાજ્ય, જ્યાં લોકો મહેનતુ અને પ્રતિભાશાળી છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ તે રાજ્યમાં થઈ રહેલા આતંકવાદી ષડયંત્રોને સામે લાવે છે.