ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી બોર્ડ દ્વારા 7મી મેના રોજ સમગ્ર રાજ્યમાં તલાટી-કમ-મંત્રીપદની પરીક્ષા લેવામાં આવનાર છે. 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લે તેવી શક્યતાઓ છે. પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની મુસાફરી દરમિયાન પરિવહન વ્યવસ્થામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.