તીર્થ શામળાજી મંદિર પાછળ આવેલા સરકારી મ્યુઝિયમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મ્યુઝિયમની પાછળથી વિશાળ જ્વાળાઓ દેખાતી હતી. જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાણી ફેંકવા લાગ્યા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારો પણ તેની લપેટમાં આવી ગયા હતા જેથી શામળાજી સરપંચ અને તંત્ર દ્વારા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.