(રહેવાલ ન્યુઝ) થરાદ, થરાદના માંગરોળ પાસે પાણી પુરવઠા માટે થોડા સમય પહેલા એક હોટલ પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખાડા ન પૂરવા હવે સમસ્યા બની છે. આ સાથે ખાડાની સાથે VZDP પણ હોવાના કારણે તંત્રની આ બેદરકારી જીવલેણ બની શકે તેવી ચર્ચાઓ ઉઠી રહી છે. લોકો અકસ્માતને લઈને પણ ભયભીત છે. હાઈવે પરના મોટા ખાડા વાહન ચાલકો માટે મોતનો ખાડો સાબિત થઈ શકે છે. જો પાણી પુરવઠા તંત્રની બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ પડી જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો લોકોમાં ગણગણાટ છે.