વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન. સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્વરાજ્ય મેગેઝિનના સંપાદકીય નિર્દેશક રાઘવન જગન્નાથનજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત કરવામાં આવ્યાં સુકેતુ શાહ (Print Media, Senior Reporter, Sandesh), કલ્પક કેકરે (Electronic Media, Channel Head, TV 9 Gujarat), ભરત પંચાલ (Digital Media, Bureau Chief, E TV Bharat, Digital Portal), સૌરભ શુક્લ ((Radio, Creative Content Producer, Gujarat, Radio City), અજય ઉમટ (વિશિષ્ટ સન્માન, Group Editor, Ahmedabad Mirror & Navgujarat Samay) વિકાસ ઉપાધ્યાય (વિશિષ્ટ સન્માન, Residential Editor, Damanganga Times)
ને સન્માનિત કરવાંમાં આવ્યા. આ પ્રસંગે ભારતીય ચિત્ર સાધના દ્વારા આગામી 23,24,25 ફરવરી 2025ના રોજ પંચકુલા, હરિયાણામાં યોજાનારા ૫મા ફિલ્મ ફેસ્ટીવલના પોસ્ટરનું અજીતભાઈ શાહ (ટ્રસ્ટી, ભારતીય ચિત્ર સાધના) તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ રાઘવન જગન્નાથજીએ (સંપાદકીય નિર્દેશક, સ્વરાજ્ય પત્રિકા) કહ્યું કે આજના સમયમાં પત્રકારત્વ ખાસું બદલાઈ ગયું છે. આજના સમયમાં જર્નાલીસ્ટને મલ્ટીમીડિયામાં મહારથ હાસિલ કરાવે પડશે સમાચાર અલગ અલગ ફોરમેટમાં આપવા પડશે. પત્રકાર તરીકે માત્ર ફેક ન્યુઝ નહી ફેક નેરેટિવ્સને પકડવા જોઈએ એને નિરસ્ત કરવું જોઈએ. ભારતને લિંચિસ્તાન બનાવવાની કોશિશો થઈ તેવા સમય વાચક સમક્ષ રજૂઆત કરીને સત્ય જણાવવા નું કામ જર્નાલીસ્ટનું છે. આવું જ કોવિડ દરમિયાન થયું આપણા દેશે અમેરિકા જેવા વિશ્વના વિકસિત દેશો કરતા સારી રીતે મહામારીને અટકાવી છે.
એક જ ન્યુઝને જુદા જુદા ફોર્મેટમાં રજૂ કરવાનું પણ શીખવું જોઈએ. આજકાલ સોશ્યલ મિડિયા મેઈન સ્ટ્રીમ મિડિયા બની ગયા છે બાકીના સાઈડ મિડિયા બની ગયા છે. જે પત્રકારત્વ ભણે છે તેમણે કોઈ એક વિષયમાં નિષ્ણાત બનવું જોઈએ. આજે નિષ્ણાત હોવું ખુબ આવશ્યક છે. પત્રકારે પોતે એક બ્રાન્ડ બનવું જોઈએ. આજકાલના વાંચક દર્શક એક જ ફોર્મેટ નથી જોતો તેથી એનું ધ્યાન રાખીને પત્રકારત્વ થાય એ જોવાની આવશ્યકતા છે.