રાજ્ય સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની સ્ટેન્ડિંગ કન્સલ્ટેટિવ કમિટીની બેઠક યોજાઈ હતી. કન્સલ્ટેટિવ કમિટી તરફથી ધારાસભ્યો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.
જેમાં પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ હેઠળ સુજલામ સુફલામ યોજનામાંથી પાઈપલાઈન દ્વારા તળાવો ભરવા, હયાત જળાશયોની સંગ્રહ ક્ષમતા વધારવી, નર્મદા અને સુજલામ સુફલામ કેનાલોનું નિર્માણ, ખેતરો તરફ જવાના રસ્તાઓને કારણે સર્જાતી સમસ્યાઓ, તળાવોની સફાઈ અને પાણી પુરવઠા વિભાગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામના તળાવો અને નહેરોમાંથી ગંદકી દૂર કરવા, સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલન વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ડોર સ્ટેપ ડિલિવરી, પુરવઠા વિભાગના નવા મોટા સરકારી ગોડાઉનનું બાંધકામ, સસ્તા અનાજની દુકાનોમાં ખૂટતા જથ્થાની મંજૂરી, EFPS સિસ્ટમમાં સમસ્યાઓ અને અન્ન અને નાગરિક પુરવઠાને લગતા પ્રશ્નોની ચર્ચા અને રજૂઆત કરવામાં આવી હતી.
ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિ પટેલ, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, મહુવાના ધારાસભ્ય મોહન ધોડિયા, લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે વિવિધ વિસ્તારોમાં રજૂઆતો કરી હતી.