પાલનપુર રેલવે સ્ટેશન પરથી વધુ એક મુસાફરનો મોબાઈલ ચોરાઈ ગયો છે. જેમાં ટ્રેનમાં એક મુસાફર ચાલતી ટ્રેનની બારી પાસે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પેસેન્જરનો મોબાઈલ ફોન ચોરીને ફરાર થઈ ગયો હતો. રેલવે સ્ટેશન પર ફરિયાદ નોંધાઈ છે.રાજસ્થાનના બોઈસર ગામમાં રહેતો પવનનાથ ભેરુનાથ યોગી નામનો યુવક 5 મેના રોજ રાણકપુર એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન પાલનપુર રેલવે સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે યુવકનો મોબાઈલ રણક્યો, તે ટ્રેનમાં બારી પાસે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. આથી કોઇ અજાણ્યા શખ્સે બારી પાસે હાથ નાંખીને વાત કરી રહેલા યુવક પાસેથી રૂ. 15999ની કિંમતનો મોબાઇલ આંચકી લીધો હતો અને ભાગી ગયો હતો. આ અંગે યુવકે પાલનપુર રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પાલનપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોના મોબાઈલ લૂંટવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી પોલીસે સતર્ક રહેવાની જરૂર છે.