ભાવનગર જિલ્લાના પાલિતાણાના મેઘધરમાં રખડતા બકરાને લઈને બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. સમાધાન માટે મળવા આવેલા પરિવાર પર પિતા અને બે પુત્રોએ હુમલો કરી માર માર્યો હતો. બનાવ સંદર્ભે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ વિરોધ પક્ષના ચાર લોકો સામે ફરિયાદ આપી છે.
આ અંગે પાલિતાણા, ભાવનગરના માયધર ગામના વીરમ માથાસુરીયાએ પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 20મી મેના રોજ નાનાભાઇ વિજયભાઇએ વેંચેલા બકરા અંગેની તકરારનું સમાધાન કરવા માટે ભેગા થયા હતા. છ માસ પહેલા ફરિયાદીના ભાઈ વિજયે તેના પરિવાર તુજુબેનને એક બકરી વેચી હતી. તુજુબેન બકરાંને વચ્ચે-વચ્ચે છૂટી જવા દેતા. જે ફરીયાદીના ઘરે આવીને અન્ય બકરા ચરાવતો હતો. જે દરમિયાન બકરા ચરતી વખતે તુજુબેનના બકરાના પગમાં ઈજા થઈ હતી.
જે અંગે તુજુબેનને અગાઉ સામાન્ય ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ બંને પરિવારો સમાધાન માટે ભેગા થયા હતા. વાટાઘાટો દરમિયાન હાજર રહેલા હરેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. ફરિયાદીએ બોલવાની ના પાડતાં હાજર રમેશભાઈ બાબુભાઈ માથાસૂરિયાએ ફરિયાદીને હાથમાં લાકડી વડે માર મારવાનું શરૂ કર્યું હતું.
મામલો વણસી જતાં હરેશ ભાઈ અને તેનો પુત્ર સંજય આવીને ફરિયાદી અને તેના ભાઈ અને પિતા સાથે મારપીટ કરવા લાગ્યા હતા. દરમિયાન ફરિયાદીની માતા અને પત્ની અને પડોશીઓએ આવીને મામલો થાળે પાડ્યો હતો. જોકે આ વખતે આરોપી ફરાર થઈ ગયો હતો. હવે મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બનાવ સંદર્ભે ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.