હવામાન વિભાગની આગાહી બાદ ગઈકાલે રાત્રે આવેલા જોરદાર વાવાઝોડા અને વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે નુકસાન થયું છે, જેમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
ખેડૂતોનો ઉભો બાજરીનો પાક પણ નાશ પામ્યો હતો અને અનેક ઘરો અને ઢોરના શેડના પતરા અને પાઇપો પણ ઉડી ગયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડાને કારણે કરોડોનું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર ઉનાળામાં હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે રાત્રે કરા સાથે કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લામાં ભારે તારાજી સર્જી હતી. જેમાં અનેક લોકોને કરોડોનું નુકસાન થયું હતું.
મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં ત્રાટકેલા જોરદાર વાવાઝોડાને કારણે બનાસકાંઠા જિલ્લાના લોકો ભયભીત છે. કારણ કે જોરદાર વાવાઝોડાને કારણે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં અનેક વૃક્ષો, અનેક ઈલેક્ટ્રીક થાંભલા અને પાઈપો સાથે અનેક મકાનોના પતરા અને તબેલાઓ ઉડી ગયા હતા.
ખેડૂતોના ખેતરમાં ઉભેલો બાજરીનો પાક પણ નાશ પામ્યો હતો. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાને કારણે બનાસકાંઠા જિલ્લામાં આંધીએ હાહાકાર મચાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ભારે વાવાઝોડાને કારણે અનેક ગામોને નુકસાન થયું છે. જેમાં 100 જેટલા મકાનોને નુકસાન થયું હતું, 200 સાઈનબોર્ડ ધરાશાયી થયા હતા, 500 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ લાઈનો તૂટી ગઈ હતી.
આ ભારે વાવાઝોડાને કારણે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો.આ રીતે અનેક તાલુકાઓમાં ભારે વિનાશ સર્જાયો હતો.ભારે વાવાઝોડાને કારણે લોકોને 10 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.