ચેન્નાઈ તમિલનાડુના રાજા અન્નામલાઈપુરમમાં મહિલા સોફ્ટવેર એન્જિનિયર શોભાના ઘરેથી 55 મૂર્તિઓ મળી આવી છે. આ તમામ મૂર્તિઓ 9મી અને 10મી સદીની કહેવામાં આવી રહી છે. શોભાએ તેમને પોતાના ઘરના બગીચામાં જમીન નીચે રાખ્યા હતા.
એન્ટી મૂર્તિ સ્મગલિંગ યુનિટને મૂર્તિઓની દાણચોરી અંગે બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરવામાં આવતાં 55 મૂર્તિઓ મળી આવી હતી. મહિલાનો પતિ અમેરિકામાં સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. આ મહિલા દસ્તાવેજો લીધા વગર પુરાતત્વીય મહત્વની મૂર્તિઓ ખરીદતી હતી. તેણે કહ્યું કે તે તેના ઘરમાં એક મ્યુઝિયમ બનાવવા માંગે છે. તપાસ એજન્સીને શોભા મૂર્તિ તસ્કર દીનદયાલન પાસેથી મૂર્તિઓ ખરીદતી હોવાની માહિતી પણ મળી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ એન્જિનિયર કપલ પુરાતત્વીય મૂર્તિઓ વિદેશમાં વેચવાનો ધંધો કરે છે. ફેબ્રુઆરી મહિનામાં પણ તેના ઘરેથી 17 મૂર્તિઓ મળી આવી હતી. ત્યારથી તપાસ એજન્સીઓની નજર શોભા પર હતી.