(જીએનએસ) તા. 25
ગાંધીનગર
મુખ્યમંત્રીએ પબ્લિક રિલેશન યુનિટમાં ઉપસ્થિત નાગરિકો અને અરજદારોની રજૂઆતો સંવેદનશીલતાથી સાંભળી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની તંત્ર સંચાલકોને નાના માણસોની સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાની સલાહ
મે મહિનામાં ગામડા-તાલુકા-જિલ્લા અને રાજ્ય સ્વાગતમાં મળેલી 6421 રજૂઆતોમાંથી 5587નું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાયેલા રાજ્યવ્યાપી ‘સ્વાગત સપ્તાહ’ના અહેવાલની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.