દાળની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે દેશમાં ઉત્પાદન વધારવાના હેતુથી MSP એટલે કે મગ, તુવેર દાળ અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના MSPમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં અનાજના પાકમાં 7 ટકા, કપાસમાં 8.9 ટકાનો વધારો થયો છે. મકાઈની એમએસપી 2090, તુવેરની દાળની 7000 પ્રતિ ક્વિન્ટલ, મગની એમએસપી 8 હજાર 558 પ્રતિ ક્વિન્ટલ, અડદની 6 હજાર 950 પ્રતિ ક્વિન્ટલ, મગફળીની એમએસપી 6 હજાર 377 પ્રતિ ક્વિન્ટલ રહેશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, જેઓ વધુ કઠોળની વાવણી કરવા પ્રેરિત થશે અને ઉત્પાદનનું વધુ મૂલ્ય મેળવશે.
કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યોઃ-
2023-24 માટે MSPની મોટી જાહેરાત
અનાજના પાકમાં 7 ટકા, કપાસમાં 8.9 ટકાનો વધારો
મકાઈ માટે MSP 2090 પ્રતિ ક્વિન્ટલ
તુવેર દાળ માટે MSP 7000 પ્રતિ ક્વિન્ટલ
મગ માટે MSP પ્રતિ ક્વિન્ટલ 8558 રહેશે
અડદની MSP પ્રતિ ક્વિન્ટલ 6950 રહેશે
મગફળીની MSP પ્રતિ ક્વિન્ટલ 6377 રહેશે
સૂર્યમુખી અને સોયાબીનના ભાવમાં વધારો થયો હતો