ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. જેમાં 17 મેના રોજ કોરોનાના 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 150થી ઓછી થઈ ગઈ છે. સક્રિય કેસની સંખ્યા 134 પર પહોંચી ગઈ છે. જેમાં અમદાવાદમાં 10, વલસાડમાં 4, વડોદરામાં 2, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, મહિસાગરમાં 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા પર પહોંચી ગયો છે. આ સાથે 13 દર્દીઓ પણ કોરોનાથી સ્વસ્થ થયા છે.