ચાર દિવસ પહેલા થરાદમાંથી 12 રિએક્ટર પસાર થયા બાદ ગુરુવારે થરાદમાંથી વધુ 9 રિએક્ટર પસાર થયા હતા, જેના કારણે મુખ્ય કેનાલ પાસેના હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે વીજકાપના કારણે રહીશોને અગવડતા પડી હતી. ગયા શુક્રવાર બાદ ગુરુવારે એક સાથે વધુ 9 રિએક્ટર પસાર કરવામાં આવ્યા હતા. આરએન્ડબી કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ મંજુરી આપવામાં આવી ન હોવાનું કહીને નર્મદા વિભાગ અને રોડને નુકસાન થતું હોવાનું કહેવાય છે. આ વખતે પણ નર્મદા વિભાગની મંજુરી વગર પસાર કરવામાં આવી હતી. આ અંગે નર્મદા વિભાગના અધિકારીઓએ મીડિયાને કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.ગુરુવારે બપોરે વાહનો પસાર થવાના કારણે ચારેબાજુ ભારે જામ થઈ ગયો હતો. જ્યારે ઈલેક્ટ્રીક વાયર કપાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.