આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે બનાસકાંઠાના અંબાજી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અંબાજીમાં તૈયાર કરાયેલા વન કવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ અંબાજી સહિત અન્ય વિસ્તારોમાં પણ 20 હજારથી વધુ રોપા વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.