લખનૌ- સપાના પ્રવક્તા સુનિલ સિંહ સાજને પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડ પર આકરા પ્રહારો કર્યા હતા. સપાના પ્રવક્તાએ કહ્યું કે આ દેશની મહાનતા છે કે દેશના લોકોએ વડાપ્રધાનની ‘મન કી બાત’ના 100 એપિસોડને ધીરજપૂર્વક સાંભળ્યા. પરંતુ વડાપ્રધાને ન તો દેશની જનતાની ઈચ્છા સાંભળી, ન તો ખેડૂતોની વાત સાંભળી, ન તો સૈનિકોની વાત સાંભળી, ન દીકરીઓની વાત સાંભળી, ન ગરીબોની વાત સાંભળી. શું તેમણે નાના અને મધ્યમ વેપારીઓની વાત સાંભળી.
સુનીલ સાજને કટાક્ષ કરતા કહ્યું કે જો વડાપ્રધાને જનતાના મનની વાત સાંભળી હોત તો અત્યાર સુધીમાં દેશને 100 વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી, 100 એઈમ્સ, 100 સ્માર્ટ સિટી, ક્યોટો જેવા 100 શહેરો મળી ગયા હોત. દેશની જનતાને કશું મળ્યું નથી. કંઈ મળ્યું તો માનનીય વડાપ્રધાનને મળ્યું. હમણાં જ તેની મન કી બાતના 100 એપિસોડ પૂરા કર્યા.