સુરતમાં વીજ કરંટથી મોતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુથાર કામ કરતા યુવકનું વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી બે પુત્રો પાસેથી પિતાનો પડછાયો છીનવાઈ ગયો છે.
મૂળ મધ્યપ્રદેશનો 27 વર્ષીય સુખરામ દેવકા તેની પત્ની અને બે પુત્રો સાથે સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતો હતો. સુખરામ છેલ્લા આઠ વર્ષથી સુરતમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કડિયા હાલ પીપલોદ વિસ્તારમાં નોકરી કરતો હતો.
પરિવારના જણાવ્યા મુજબ આજે સવારે સુખરામ કડિયા કામ પર ગયો હતો. આ દરમિયાન કડિયા કામ કરતી વખતે વીજ કરંટ લાગ્યો અને મૃત્યુ પામ્યો. સુખરામને તેનો પરિવાર અને સાથી મજૂરો વીજ કરંટ લાગતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુખરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી પરિવારજનોના નિવેદન લીધા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સુખરામના મોતથી બે પુત્રોના પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે અને પત્નીને પણ ઘેરો આઘાત લાગ્યો છે.