સુરેન્દ્રનગરના ધૌલીધજા ડેમમાં નહાવા ગયેલા ત્રણ કિશોરો ગઈકાલે ડૂબી ગયા હતા. જે બાદ તંત્રને જાણ કરી સર્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે બપોરે ત્રણેય સગીરોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક મહેશ ભલગામા, તેજસ કુકડીયા અને શ્રેયા દેત્રોજના અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક મહેશ ભલગામા અને તેજસ કુકડિયા રતનપરની રામેશ્વર બસ્તીમાં રહેતા હતા. આ બંને મૃતકોના પરિવારમાં એક બાળક હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના ધૌલીધજા ડેમમાં પાંચ કિશોર મિત્રો ન્હાવા ગયા હતા. ત્રણ મિત્રો ડેમમાં ન્હાતા હતા જ્યારે બે મિત્રો બહાર મોબાઈલ જોઈ રહ્યા હતા. દરમિયાન ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. જેથી બહાર બેઠેલા સાથીઓએ બચાવવા કૂદી પડ્યા હતા પરંતુ બચાવી શક્યા ન હતા અને ઘટના અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી. ડેમમાં ત્રણ કિશોરોના ડૂબી જવાની માહિતી મળતા સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ પહોંચી હતી.
ડેમમાં ડૂબી ગયેલા કિશોરની શોધખોળ માટે સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટથી પણ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ગત સાંજે બનેલી આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમો અને સ્થાનિક તરવૈયાઓએ મોડી રાત સુધી ડેમની શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ કિશોર મળ્યો ન હતો. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકો આજે સવારથી ડેમમાં તરુણોને શોધી રહ્યા હતા. ઘણી જહેમત બાદ એક પછી એક ત્રણેય કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા.