અમદાવાદ.
છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત સમગ્ર વિસ્તારમાં આકાશમાંથી અગનગોળા વરસી રહેલા આકરા તાપથી લોકો ભયથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જાણે ભઠ્ઠીઓમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. જો કે આગામી 4 દિવસ દરમિયાન હવામાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના અંતરિયાળ વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ગરમ અને ભેજવાળા રહેવાની ધારણા છે.
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જે બાદ બે દિવસ માટે યલો એલર્ટ રહેશે. બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
શુક્રવારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યના 12 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. જે પૈકી પાટણમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 44.4 ડિગ્રી, વડોદરામાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી અને સુરતમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 43.2, ભાવનગરમાં 41.7, ભુજમાં 42.6, ડીસામાં 42.8, ગાંધીનગરમાં 43.7, જૂનાગઢમાં 43.4, પોરબંદરમાં 40.2.