નવી દિલ્હી: એર ઇન્ડિયાના વડા કેમ્પબેલ વિલ્સને શુક્રવારે જણાવ્યું હતું કે એરલાઇન અને એર ઇન્ડિયા એક્સપ્રેસે આ વર્ષે અત્યાર સુધીમાં 3,900 થી વધુ લોકોની ભરતી કરી છે. આમાં 500 થી વધુ પાઇલોટ અને 2,400 થી વધુ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું. ટાટા જૂથના નેતૃત્વ હેઠળ એર ઈન્ડિયા તેની કામગીરીમાં સુધારો કરી રહી છે અને કાફલાની સાથે સાથે કામગીરીનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરે શુક્રવારે એર ઈન્ડિયાના કર્મચારીઓને એક સંદેશમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતથી AI અને AIX દ્વારા 500 થી વધુ પાઈલટ, 2400 ક્રૂ મેમ્બર અને 1,000 અન્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ભરતી અને તાલીમ ક્ષમતા વધારવા માટે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા (AI) પાસે લગભગ 11,000 કર્મચારીઓ છે અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (AIX) પાસે ત્રીજા પક્ષના કર્મચારીઓ સહિત લગભગ 1,900 કર્મચારીઓ છે.