Author: gujarat
હિન્દુ મહિલા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુંકેટલીક વિધવા મહિલાઓએ બીજા લગ્ન કરી લીધા હોવાથી પોતાનું દામ્પત્ય જીવન ન બગડે તે માટે ફરિયાદ કરવા તૈયાર નથીઅમદાવાદ,આદિત્ય બનીને ૧૦૦થી વધુ હિન્દુ મહિલાઓને ફસાવનાર કડીના કરીમ સિપાહી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કરીમે એક મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરીને મહિલા પાસેથી ખંડણી માગી હતી. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક મહિલા સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. હાલ કરીને પીઠબળ પૂરું પાડનાર તત્વોની તપાસ શરૂ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના કડીના…
ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારે બે આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. IAS અધિકારી રૂપવંતસિંઘ અને આલોક પાંડેની બદલી રૂપવંતસિંઘ મુખ્ય સ્ટેટ ટેક્ષ કમિશનર : આલોક પાંડે આદિજાતિ વિકાસ વિભાગમાં રાજકોટઃ રાજય સરકારે આઇએએસ કેડરના બે અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે.ગુજરાત ખનિજ વિકાસ નિગમના એમ.ડી. રૂપવંતસિંઘને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ તરીકે નિમણુંક આપવામાં આવી છે. હાલની જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે રહેશે. રાહત કમિશનર આલોક પાંડેની આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તરીકે બદલી થઇ છેરૂપવંત સિંહ ગુજરાત કેડરના 2003 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. તેમણે રાજકીય વિજ્ઞાન, ઇતિહાસ અને અર્થશાસ્ત્રમાં બી.એ. (ઓનર્સ) અને પંજાબ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં એમ.એ. કર્યું છે. તેમની…
22 વિભાગો અને મંત્રાલયોના સંકલનથી 11,000થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત NOCરેકોર્ડ સમયમાં પ્રોસેસ થયાØ83,000 હેંડપમ્પોના જિયો-ટેગિંગ અને દેશની પહેલી ‘ડિજિટલ રિઝર્વોયર મેનેજમેન્ટ સિસ્ટમ’થી નાગરિક સેવાઓમાં મોટો ફેરફારØ1500થી વધુ રાજ્ય સ્તરીય અને 1,400થી વધુ કેન્દ્રીય ડેટા લેયર્સ સહિત કુલ 2900થી વધુ ડેટા લેયર્સનું ઇન્ટિગ્રેશન અને 2400થી વધુ પ્રોજેક્ટ્સનું રિયલ ટાઇમGISમેપિંગભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થયા છે. તેમના આ 12 વર્ષોના કાર્યકાળ દરમિયાન ‘પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન’ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશા બદલનારી એક ઐતિહાસિક પહેલ તરીકે ઉભર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આ પહેલને ટેક્નોલોજી આધારિત સુશાસનના અસરકારક મોડેલમાં પરિવર્તિત કરી છે. જે પ્રોજેક્ટ્સ વર્ષો…
રાજ્યભરમાં ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી‘યોગ સપ્તાહ‘ની ઉજવણી-૧૭ મહાનગરપાલિકાઓ,૩૩ જિલ્લાઓના તમામ તાલુકાઓ,નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ યોજાશેઆ વર્ષની થીમ‘યોગા ફોર હેલ્ધી એજિંગ‘પર વિશેષ કાર્યક્રમો યોજાશેઅમદાવાદ, ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી વિશિષ્ટ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગુજરાતમાં આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કરવામાં આવશે. જેમાં ૪ હજારથી વધુ નાગરીકો સહભાગી થશે.નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું…
સ્થાનિક પોલીસને પણ NDPSકેસો નોંધવાની જવાબદારી-ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ગુજરાતે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક અભિગમ અપનાવ્યો છેAhmedabad, નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS)અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે.ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP)શ્રી જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે વધુ સક્રિય અભિગમ અપનાવવા તથા સરકારની નીતિ અનુસાર ઓછી માત્રામાં નશીલા પદાર્થો મળતા કેસોમાં પણ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.રાજ્યના પોલીસ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું…
રાજ્યભરમાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાશે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬”: જીતુભાઈ વાઘાણીનવી ‘ઇન્ડસ્ટ્રીઝ પોલિસી’થી રાજ્યમાં વિદેશી રોકાણને મળશે વેગ;કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવાયામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા જનહિતલક્ષી નિર્ણયો અંગે મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,સરકારે શાળા પ્રવેશોત્સવ,ચોમાસાની આપત્તિ વ્યવસ્થાપનથી લઈને ઉદ્યોગ અને કર્મચારી કલ્યાણ ક્ષેત્રે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્યભરમાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલી શિક્ષણની આ આગવી ઝુંબેશને…
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યોબાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યોનવી દિલ્હી,ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા ૬ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સર્જા છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.સરકારી આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે…
સવારના આઠ વાગ્યા છે. અમદાવાદના વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવર ધીમે ધીમે વધી રહી છે. શહેર પોતાની રોજિંદી ગતિ પકડી રહ્યું છે. ત્યારે મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ સમાચાર વાંચી રહ્યું છે,કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે,તો કોઈ પોતાના આગામી કામનું આયોજન કરી રહ્યું છે. અમદાવાદના જાહેર પરિવહનનું બદલાયેલું આ ચિત્ર છે.મેટ્રો ટ્રેનને પરિણામે દૈનિક ધોરણે મુસાફરી કરતાં નાગરિકોના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે. તે જોઈએ. મીડિયા રિસર્ચર તરીકે કાર્યરત ઋચા માટે મેટ્રો આશીર્વાદરૂપ બની છે. અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરતી ઋચાને એક સમયે ગાંધીનગર ખાતેની ઓફિસ પહોંચવા અનેક વાહનો બદલવા પડતા. વળી,ટ્રાફિકમાં તેનો કિમતી સમય પણ બગડતો. પણ અમદાવાદ…
મહારાષ્ટ્રમાં શિવસેના તૂટી, તો UPમાં સપામાં ભંગાણના એંધાણ! જાણો ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવના ટેન્શનનું કારણમમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ મોટું ભંગાણ પાકું થઈ ગયું છે. શિવસેના યુબીટીના કુલ ૯ લોકસભા સાંસદોમાંથી ૬ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને પોતાને એકનાથ શિંદેની સેનાના સાંસદો માનવાનો આખરી નિર્ણય કરી લીધો છે. આ બળવાખોર સાંસદોએ નવી દિલ્હી ખાતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિત પત્ર સોંપીને સંસદમાં તેમને શિંદેના સાંસદો તરીકે માન્યતા આપવા સત્તાવાર વિનંતી કરી દીધી છે. આ ઘટનાક્રમ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપનારા ઉદ્ધવ જૂથના ૬ બળવાખોર…
