Author: gujarat

વર્ષ 2025 દરમિયાન PIT NDPS Act હેઠળ કુલ 86 આરોપીઓને અટકાયત કરી, ચાલુ વર્ષે 4 મહિનામાં 21 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવીરાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છેAhmedabad, ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે.આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ…

Read More

જૂનાગઢ, સાસણગીર વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને ચાલતા જુગારધામ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી ત્રાટકી હતી. આ દરોડામાં સૌરાષ્ટ્રના જાણીતા સોની વેપારીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.જૂનાગઢના પ્રવાસન ધામ એવા સાસણગીરના રિસોર્ટમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સફળ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાસણગીરના ‘ગીર પ્રાઇડ રિસોર્ટ’ માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને કેટલાક શખ્સો મોટા પાયે જુગાર રમી રહ્યા હતા.આ જુગારધામનો મુખ્ય સૂત્રધાર ગોંડલનો સોની વેપારી સંજય હસમુખભાઈ વડનગરા હોવાનું બહાર આવ્યું છે, જેણે…

Read More

નવી દિલ્‍હી: ગુજરાતમાં યોજાનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી વચ્‍ચે રાજ્‍યમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્‍યારે ૨૬મી એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયામાં દેશના ટોચના દિગ્‍ગજ નેતાઓ પણ સક્રિય રીતે ભાગ લેતા જોવા મળશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ કેન્‍દ્રીય મંત્રીઓ અને રાજ્‍યપાલો સહિતના અગ્રણીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવશે, જે ચૂંટણીને વધુ પ્રેરણાદાયક બનાવે છે.આગામી ૨૬મી તારીખે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્‍તારના મતદાતા છે. તેઓ હંમેશા મતદાનને લોકશાહીનો પર્વ ગણાવતા આવ્‍યા છે. જેથી દેશના ઘણા બધા મહત્‍વના મુદ્દાઓમાં વ્‍યસ્‍ત હોવા છતાં તેઓ પોતાના મતનો ઉપયોગ કરવા માટે સમય કાઢે છે.આ વખતે પણ તેઓ મતદાનમાં ભાગ લેશે તેવી…

Read More

‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ અંતર્ગત સ્કૂમ વિદ્યાલયમાં શપથ અને સર્જનાત્મકતા દ્વારા 100% મતદાનનો સંકલ્પઅમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરીઆગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સુશ્રી અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ…

Read More

અમદાવાદ સિવિલમાં ૨૩૪મું અંગદાનઃ કપડવંજના મનુભાઈ પરમાર મૃત્યુ બાદ પણ બન્યા અમર(માહિતી) અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા મિલાપની સાક્ષી બની છે. કપડવંજ, ખેડાના વતની અને વ્યવસાયે ખેતીકામ કરતા ૩૯ વર્ષીય મનુભાઈ પરમારના અકાળે અવસાન બાદ તેમના પરિવારે લીધેલા અંગદાનના નિર્ણયથી આજે સાત જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. આ ઉમદા કાર્ય સાથે સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો ૨૩૪ પર પહોંચ્યો છે.ઘટનાની વિગત મુજબ, ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ એક માર્ગ અકસ્માતમાં મનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે ૧૩ એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો…

Read More

૨૦૩૦ સુધીમાં ૩૦૦૦ ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ફાટકમુક્ત અમદાવાદ બનાવવામાં આવશે. ૧૭ નવા બ્રિજ બનાવવાનું આયોજન. સુભાષબ્રિજને ૮ માર્ગીય બનાવવામાં આવશે.(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય રહી છે. ભાજપ દ્વારા ૧૬ એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ અને એએમસી પૂર્વ પદાધિકારીઓએ આગામી પાંચ વર્ષમાં ભાજપ શું કરશે તેનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું.અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭માં ભાજપના પદાધિકારીઓ દ્વારા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત ફરીથી ભાજપના ચૂંટણી સંકલ્પ પત્રમાં કરવામાં આવી હતી. ભાજપના નેતાઓને કોઈ ખાસ મોટી જાહેરાત ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં…

Read More

કોર્ટે આરોપીને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યોઅપરિણીત હોવાનું કહી કોર્ટમેરેજ કર્યા બાદ પ્રથમ પત્નીનાં ડિવોર્સ પેપર મળી આવતાં ભાંડો ફૂટ્યોરાજકોટ, રાજકોટમાં પ્રથમ લગ્નની વિગતો પત્ની અને કોર્ટ સામે છુપાવી બીજા લગ્ન કરનાર યુવકને જેલહવાલે થવાનો વારો આવ્યો છે. બીજા લગ્ન બાદ મનમેળ ન બેસતા આરોપીએ પત્ની અને પુત્રને તરછોડી દીધા હતા, પરંતુ કાયદાકીય લડાઈ દરમિયાન પતિના અગાઉના લગ્નના દસ્તાવેજો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપી પતિને ૩ વર્ષની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે છે.શહેરના નાનામવા રોડ પર રહેતા આશિષ કંટારીયાએ વર્ષ ૨૦૦૬માં એક યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.લગ્ન સમયે આશિષે…

Read More

પાલનપુર, પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર આવેલી ઓઇલ મિલમાં સાંજના સમયે અચાનક બોઇલર ફાટતાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અહીં કામ કરતા પરપ્રાંતીય સાત મજૂરો આગમાં લપેટાયા હતા.જેમાં ત્રણ મજૂર ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે ચાર મજૂર સામાન્ય ઘાયલ થયા હતા. ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલને અમદાવાદ રિફર કરાયા હતા. પાલનપુરના કાણોદર ગામે આવેલી આદર્શ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની ઓઇલ મિલમાં શ્રમિકો પાસે કામ લેવામાં આવતું હતું. આ ઓઈલ મિલમાં બુધવારે મજૂરો કામ કરી રહ્યા હતા.દરમિયાન એક પેટ્રોલ ભરેલું બોઇલર ચાલુ કરવા જતાં અચાનક આગની ચિંગારી પ્રસરતાં ભીષણ આગ ભભૂકી હતી. તમામ…

Read More

અમદાવાદ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અઢી માસની માસૂમ બાળકીને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં મોતના મુખમાં ધકેલી દેનાર કળિયુગી માતા મોનિકા મકવાણાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે અત્યંત ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ એક માતા દ્વારા કરવામાં આવેલું અત્યંત અમાનવીય કૃત્ય જણાય છે.ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. માતા દ્વારા જ પોતાના સંતાન પ્રત્યે આવું અમાનવીય વર્તન આઘાતજનક છે. તપાસ હજુ ચાલુ હોવાથી અને પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતા છે.ત્યારે જામીન આપવા ન્યાયોચિત નથી. પોલીસ તપાસ અને કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ, આરોપી માતા મોનિકા દીપકભાઈ મકવાણાની અઢી માસની પુત્રી વિશ્વા અકસ્માતે પાણીની ટાંકીમાં પડી…

Read More