(જી.એન.એસ),તા.10નવીદિલ્હી,અગ્ર સચિવે તાજેતરના વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં અભૂતપૂર્વ અશાંતિ અને અનિશ્ચિતતાને ટાંકીને કોન્ફરન્સની થીમ ‘પાથવેઝ ફોર સસ્ટેઇનેબલ ગ્રોથ ઇન એન અનસર્ટેન વર્લ્ડ’ના વિષય પર પ્રકાશ પાડ્યો હતો. વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની સફર પર ભાર મૂકતા ડો. મિશ્રાએ ઊંચી વૃદ્ધિના માર્ગને હાંસલ કરવાની સાથે સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે,”જે ઊંચો વિકાસ ટકાઉ નથી, તે અર્થપૂર્ણ નહીં હોય.” અગ્ર સચિવે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં વૈશ્વિક પુરવઠા શૃંખલામાં પરિવર્તન, સેવાઓના વેપાર અને રોજગારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના સંદર્ભમાં ઊર્જા સંક્રમણનો પડકાર એ વૈશ્વિક સ્તરે ત્રણ મહત્વપૂર્ણ વલણો છે. ત્યારબાદ તેમણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) હાંસલ કરવા માટે આર્થિક સંશોધન માટે કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.શ્રી મિશ્રાએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો તથા વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સાતત્યપૂર્ણ’ આર્થિક વિકાસમાં પર્યાવરણને લગતી ચિંતાઓ, સામાજિક સમાનતા અને લાંબા ગાળાની સ્થિરતાનું સમાધાન કરીને આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “સંતુલિત અને સ્થિતિસ્થાપક વિકાસ મોડલ ઊભું કરવા માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરસ્પરાવલંબનને ધ્યાનમાં લે છે.”મુખ્ય સચિવે વર્ષ 1972માં માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં સ્થિરતાનાં વિચારનાં મૂળ વિશે ચર્ચા કરી હતી અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા માટે 169 લક્ષ્યાંકો સાથે 17 સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)નાં રૂપમાં સ્થાયી વિકાસ માટેનાં 2030નાં એજન્ડા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કોઈને પાછળ ન છોડો’નો સાર્વત્રિક સિદ્ધાંત વર્ષ 2030 માટે વૈશ્વિક કાર્યસૂચિમાં કેન્દ્રસ્થાને છે.પ્રધાનમંત્રીના ભારતના વિઝન 2047નો પુનરોચ્ચાર કરતા શ્રી મિશ્રાએ કહ્યું કે ભારતે માથાદીઠ આવકના ...