IND vs SL: સિરાજના તોફાનથી શ્રીલંકા ઉડી ગયું, 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહીં
મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગની સામે શ્રીલંકાની આખી ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.આપને જણાવી દઈએ કે વનડે ક્રિકેટમાં શ્રીલંકાનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. શ્રીલંકાની ટીમ સિરાજના તોફાન સામે ટકી શકી ન હતી.
સિરાજે એક ઓવરમાં ચાર બેટ્સમેનોને આઉટ કરીને અને 6 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા અને ભારતને જીતવા માટે માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો છે, હવે જોવાનું એ રહેશે કે ભારત આ ટાર્ગેટ કેટલા સમયમાં પૂરો કરશે.