ઈન્ટરનેટ ડેસ્ક. જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકીઓએ ફરી એકવાર સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ ઘટના સામે આવ્યા બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ આતંકી હુમલા બાદ સેનાના વાહનમાં આગ લાગી હતી.
આ ઘટનામાં 5 જવાન શહીદ થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેની સારવાર આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ સેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાંચેય સૈનિકો રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હતા અને તેઓ આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન માટે તૈનાત હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનાના વાહન પર આતંકવાદીઓ દ્વારા ફાયર કરવામાં આવેલી ગોળીઓ ચીનમાં બનાવવામાં આવી હતી. આ સાથે આતંકીઓએ ગ્રેનેડથી પણ હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી સેનાના વાહનમાંથી ફાડીને બહાર આવી હતી. બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલી દુર્ઘટનાથી દુખી છે.