IRCTC સ્વિગી સાથે ડીલ કરે છે: IRCTC રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં કેટરિંગ અને હોસ્પિટાલિટી સેવાઓનું સંચાલન કરે છે. આ સિવાય તે ડોમેસ્ટિક ટ્રાવેલ અને ઈન્ટરનેશનલ ટ્રાવેલ, બજેટ હોટેલ ડેવલપર્સ તેમજ ખાસ ટૂર પેકેજ અને ઈ-ટિકિટિંગ સેવાઓ પણ આપે છે.
સ્વિગી સાથે IRCTCની ડીલ
IRCTCએ 22 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે કંપનીએ સ્વિગી સાથે ડીલ કરી છે. આ મુજબ સ્વિગી દેશના ચાર રેલવે સ્ટેશન પર ફૂડ સર્વિસ આપશે. આ ચાર શહેરોમાં બેંગલુરુ, ભુવનેશ્વર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. આ ફૂડ સર્વિસ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
કંપનીના શેરમાં ઉછાળો
22 ફેબ્રુઆરીએ IRCTCનો શેર રૂ. 12.25ના વધારા સાથે બંધ થયો હતો. શેર 928.10 પર ખૂલ્યો અને 939.25ની ટોચે પહોંચ્યો. શેર 1.32 ટકાના ઘટાડા સાથે રૂ.938 પર બંધ રહ્યો હતો.
રોકાણકારોને ઉત્તમ વળતર મળ્યું
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો IRCTCના શેરે રોકાણકારોને 288.35 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 મહિનામાં 44.39 ટકા વધ્યો. એક વર્ષ પહેલા રોકાણ કરનારા રોકાણકારોને હવે 55.74 ટકા વળતર મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 335.70 રૂપિયાનું વળતર આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 501.94 ટકાનું વળતર આપ્યું છે.
IRCTCમાં પ્રમોટર હોલ્ડિંગ 62.4 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 18.3 ટકા છે. કંપનીના કુલ 19,28,851 શેરધારકો છે. કંપનીનું કુલ માર્કેટ કેપ રૂ. 74828 કરોડ છે, જ્યારે દેવું રૂ. 66.8 કરોડ છે. કંપનીનો ટેક્સ પછીનો નફો 1136 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચોઃ SBIના ગ્રાહકોની સંખ્યા 50 કરોડને પાર, જાણો ઝીરોથી હીરો બનવા સુધીનો ઈતિહાસ