બેંગ્લોર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે જાય છે ત્યારે તેઓ ભારતમાં નોટબંધી લાગુ કરે છે. ખડગેએ કહ્યું કે, છેલ્લી વખત જ્યારે વડાપ્રધાન મોદી જાપાન ગયા હતા ત્યારે તેમણે 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વખતે તેઓએ રૂ.2,000ની નોટો પર પ્રતિબંધ મુક્યો છે. તેમણે કહ્યું કે આ પગલાંથી દેશને કોઈ ફાયદો થશે નહીં. તેના બદલે દેશને નુકસાન થશે. વડાપ્રધાન મોદી એક યા બીજી રીતે દેશના લોકોને પરેશાન કરવા માંગે છે. ખડગેએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની નવી સરકાર એવી છે જે પ્રેમ ફેલાવે છે. તેમણે કહ્યું કે, આ સરકાર બધાને સાથે લઈને ચાલશે. અમે બીજેપી જે કહે છે અને કરે છે તેનાથી વિપરીત અમે અમારી જમીન પર ઊભા રહીશું. સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારે કર્ણાટકના નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અન્ય આઠ મંત્રીઓએ પણ શપથ લીધા હતા.