સુદાનમાં પ્લેન ક્રેશ, અકસ્માતમાં 4 સૈનિકો સહિત 9 લોકોનાં મોત
ડિજિટલ ડેસ્ક રવિવારે રાત્રે સુદાન એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં 4 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા હતા. દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં એક બાળકીનો પણ આબાદ બચાવ થયો હતો. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પરથી ટેકઓફ કરી રહ્યું હતું. પરંતુ અચાનક તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. અને ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું. પરંતુ અકસ્માત એટલો ભયાનક બન્યો કે વિમાનમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જેમાં સેનાના 4 જવાનો પણ સામેલ હતા.
જણાવી દઈએ કે છેલ્લા 100 દિવસથી સુદાન ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હિંસામાં અત્યાર સુધીમાં 1136 લોકો માર્યા ગયા છે.જો કે અન્ય સંગઠનોનો દાવો છે કે મૃત્યુઆંક આનાથી પણ વધુ હોઈ શકે છે.
એવો અંદાજ છે કે ગૃહયુદ્ધને કારણે 30 લાખથી વધુ લોકોએ સુદાન છોડી દીધું છે. આમાંના કેટલાક લોકો એવા છે કે તેઓ સુદાન છોડીને પડોશી દેશોમાં ભાગી ગયા છે.