અફઘાનિસ્તાનમાં તાલિબાન પ્રશાસને તેની અદાલતો માટે એક સૂચના જારી કરી છે, જેના કારણે હોબાળો શરૂ થઈ ગયો છે. અફઘાનિસ્તાનની સરકારે ‘કોર્ટ માટે ક્રિમિનલ પ્રોસિજર કોડ’ હેઠળ સૂચના જારી કરીને કહ્યું છે કે દેશમાં મુલ્લાઓ અને મૌલવીઓ વિરુદ્ધ કેસ ચલાવવામાં આવશે નહીં. આ સિવાય આ કોડની કલમ 9 હેઠળ અફઘાન સમાજને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યો છે. ટોચ પર મુલ્લાઓ અને મૌલવીઓ હશે. આ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જો મુસ્લિમ ધર્મગુરુઓ કોઈ ગુનો કરશે તો તેમની સામે કોઈ કેસ નોંધવામાં આવશે નહીં.
જ્યારે અન્ય વર્ગના લોકો સામે ગુનો સાબિત થશે તો તેમને કડક સજા થશે. આવી સ્થિતિમાં, એક જ ગુના માટે વિવિધ વર્ગના લોકોને અલગ-અલગ સજા આપવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેવબંદી ઈસ્લામિક નામના એકાઉન્ટે કહ્યું કે તાલિબાન પ્રશાસને ચાતુર્વર્ણ પ્રણાલી લાગુ કરી છે.
નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના મીડિયા સેલે કહ્યું કે તાલિબાને ગુલમીને કાયદેસર કરી દીધું છે. હવે કોર્ટ અલગ-અલગ લોકોને તેમની સ્થિતિ અનુસાર સજા કરશે. આવી સ્થિતિમાં ઉચ્ચ વર્ગના લોકોનું રક્ષણ થશે અને ગરીબોને સજા થશે. તમને જણાવી દઈએ કે તાલિબાન પ્રશાસન પહેલાથી જ મહિલાઓ પર ભેદભાવ અને અત્યાચાર માટે કુખ્યાત હતું. પહેલીવાર જ્યારે અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યું ત્યારે આવા નિયમો લાદવામાં આવ્યા હતા. 2021માં તાલિબાનની પીછેહઠ બાદ ફરી એકવાર તેની ચર્ચા થવા લાગી.
તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા 13 વર્ષના કિશોરને પરિવારના 13 સભ્યોની હત્યા કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. લગભગ 80 હજાર લોકોએ તેની ફાંસીની સજા જોઈ. તાલિબાનના સર્વોચ્ચ નેતા અખુન્દઝાદાની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટે તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

