પંડિત રાજેન્દ્ર જોષી કહે છે કે ભગવાનનો ક્રોધ હંમેશા ધર્મની રક્ષા માટે હોય છે, પરંતુ માણસનો ક્રોધ તેની બુદ્ધિનો નાશ કરે છે. આ વાર્તામાંથી આપણને સંદેશ મળે છે કે આપણે આપણા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. જેમ ‘તિલ’ જેવી હિતકારી વસ્તુ ભગવાનના ક્રોધમાંથી જન્મી છે, તેવી જ રીતે માણસે તેની શક્તિનો ઉપયોગ વિનાશમાં નહીં પણ સર્જનાત્મક કાર્યોમાં કરવો જોઈએ.
શ્રાદ્ધ અને પિતૃ કર્મમાં તર્પણ તલ વિના શક્ય નથી માનવામાં આવતું. એવું માનવામાં આવે છે કે પાણીમાં તલ મિક્ષ કરીને ચઢાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ ખુશ થઈને તેમના વંશજોને આશીર્વાદ આપે છે. પિતૃઓને સંતુષ્ટ કરવા અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે દરેક શુભ કાર્યમાં તલનો ઉપયોગ કરવાની પરંપરા યુગોથી ચાલી આવે છે.
તલ સ્વાસ્થ્યનો પણ ખજાનો છે
ધાર્મિક મહત્વ ઉપરાંત, તલ પોષણનો ભંડાર પણ છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. શિયાળાની ઋતુમાં તલનું સેવન કરવાથી શરીર અંદરથી ગરમ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તલનું તેલ મસાજ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે ત્વચાને પોષણ આપવાની સાથે હાડકાંને મજબૂત બનાવે છે.

