બેંગલુરુ બેંગલુરુકર્ણાટકના બેંગલુરુમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. એક 27 વર્ષીય મહિલાએ તેના પતિને ત્રણ દિવસ જૂના સાંભાર પીરસવા બાબતે થયેલા ઝઘડા બાદ આત્મહત્યા કરી હતી.
મહિલાની ઓળખ કાવ્યા તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરૂવારે પતિ સાથે ઝઘડા બાદ કાવ્યાએ જંતુનાશકનું સેવન કર્યું હતું. કાવ્યા અને રંગાસ્વામીના લગ્નને પાંચ વર્ષ થયા છે. તેને ચાર વર્ષનું બાળક પણ છે.
પ્રાથમિક માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે તેણે ત્રણ દિવસ પહેલા તૈયાર કરેલો સાંબર ફરીથી ગરમ કરીને પીરસ્યો.
આ ઝઘડો કથિત રીતે ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગયો હતો જે દરમિયાન પતિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લડાઈ પછી કાવ્યાએ ખેતીના ઉપયોગ માટે જંતુનાશકનું સેવન કર્યું હતું.

