મુંબઈના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નાયરને KKR સાથે લાંબો અનુભવ છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારતીય ટીમના કોચિંગ સ્ટાફનો હિસ્સો રહેલા અભિષેક નાયરને KKRમાં મોટી જવાબદારી મળી શકે છે અને હવે KKRએ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. નાયર ટીમના બેકરૂમ સ્ટાફમાં KKR ના સહાયક કોચ તરીકે પણ હતા જ્યારે ટીમે માર્ગદર્શક ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ IPL 2024 નું ટાઇટલ જીત્યું હતું.
KKR ની IPL 2025 સીઝન ખૂબ જ નિરાશાજનક રહી હતી, જ્યાં ટીમ 14 લીગ મેચોમાંથી માત્ર પાંચ જીત મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયાના સહાયક કોચના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, નાયર તરત જ KKRમાં પાછો ફર્યો અને ફ્રેન્ચાઈઝીના સપોર્ટ સ્ટાફમાં જોડાયો. આ વર્ષની શરૂઆતમાં, નાયરે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ફ્રેન્ચાઇઝી યુપી વોરિયર્સના મુખ્ય કોચની ભૂમિકા પણ સંભાળી હતી.

