ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે પ્રથમ વનડે રમાશે. ઓડીઆઈ સીરીઝની શરૂઆત પહેલા મિશેલ માર્શે આશા વ્યક્ત કરી છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બહુ સારૂ નહીં રમે. જો કે, તેણે એમ પણ કહ્યું કે ચાહકોને સારું ક્રિકેટ જોવા મળશે. 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ODI શ્રેણી પહેલા પ્રેસ કોન્ફરન્સમાં બોલતા મિશેલ માર્શે ભારતીય જોડીની પ્રશંસા કરી હતી. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે રમી રહ્યો નથી અને તેના સ્થાને મિચેલ માર્શને ટીમની કમાન સોંપવામાં આવી છે.
મિશેલ માર્શે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મને મારી સમગ્ર કારકિર્દી દરમિયાન તેમની (કોહલી અને રોહિત) સામે રમવાનું સૌભાગ્ય મળ્યું છે. તે ચોક્કસપણે રમતનો દિગ્ગજ છે. ખાસ કરીને વિરાટ, તે આ વ્હાઇટ-બોલ ફોર્મેટમાં સૌથી મોટો ચેઝર છે. તમે જોઈ શકો છો કે શા માટે ટિકિટનું વેચાણ આટલું વધારે છે અને શા માટે ઘણા લોકો તેમને જોવા આવે છે.”
તેણે ઉમેર્યું, “જો ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ તેમનો છેલ્લો પ્રવાસ છે, તો મને આશા છે કે તેઓ તેનો આનંદ માણશે.” અને હું આશા રાખું છું કે લોકોને તેમનું ઘણું સારું ક્રિકેટ જોવા નહીં મળે, પરંતુ તેઓ ઓસ્ટ્રેલિયામાં બે મહાન ખેલાડીઓને રમતા જોવા મળશે.”
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ વખત ભારતીય જર્સીમાં જોવા મળશે. આ સીરિઝ પહેલા આ બંને ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે તેમનું સંપૂર્ણ ધ્યાન 2027 ODI વર્લ્ડ કપ પર છે. રોહિતની જગ્યાએ ગિલને ભારતનો નવો વનડે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારથી રોહિત અને કોહલીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. ગિલની કપ્તાનીમાં ભારતીય ટીમ રવિવારથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે.

