ધુરંધર 2: ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર 2 ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણા સમયથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ હજુ સુધી રિલીઝ પણ નથી થઈ, પરંતુ તેને લગતી ઘણી નવી માહિતી સતત સામે આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર 19 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે ધુરંધરનો પહેલો ભાગ રિલીઝ થયો હતો, ત્યારે એવા સંકેત મળ્યા હતા કે મેકર્સ તેનો આગામી ભાગ પણ લાવી શકે છે. હવે બીજા ભાગની રજૂઆત પહેલા જ ત્રીજા ભાગની ચર્ચાએ જોર પકડ્યું છે.
ત્રીજા ભાગ વિશે અપડેટ શું છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ને રિલીઝ પહેલા જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, સ્ટુડિયો આ ફિલ્મની વાર્તાને આગળ લઈ જઈને સમગ્ર બ્રહ્માંડને વિસ્તારવા માંગે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટુડિયો ઇચ્છે છે કે ડિરેક્ટર આદિત્ય ધર ત્રીજા ભાગ પર પણ કામ કરે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સ્ટોરીમાં હજુ પણ ઘણા પાર્ટ બનવાની શક્યતા છે, તેથી ‘ધુરંધર 3’ બનાવવાની વાતને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.
ત્રીજા ભાગ માટે પહેલેથી જ એક વિચાર છે
મળતી માહિતી મુજબ, આદિત્ય ધર પાસે ત્રીજા ભાગ માટે પ્રારંભિક વિચાર પણ છે. જોકે, તેણે આ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે પ્રતિબદ્ધતા કરી નથી.
પોસ્ટ ક્રેડિટ ટીઝરની પણ ચર્ચા થઈ

