સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી 3-1થી જીતી લીધી હતી. અમદાવાદમાં શુક્રવારે રમાયેલી પાંચમી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું હતું. ભારતે હાર્દિક પંડ્યા (25 બોલમાં 63 રન) અને તિલક વર્મા (42 બોલમાં 73)ની ધમાકેદાર અડધી સદીના આધારે 231/5નો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ભારતે પ્રથમ વખત ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી જીતી છે. સીરીઝ જીત્યા બાદ સૂર્યા પોતાને ટ્રોલ કરી હતી. તેણે ચાર મેચમાં માત્ર 34 રન બનાવ્યા હતા. તે લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેણે છેલ્લીવાર ઓક્ટોબર 2024માં અડધી સદી ફટકારી હતી. કેપ્ટને કહ્યું કે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં માત્ર એક જ વસ્તુની ખોટ હતી અને તે બેટ્સમેન તરીકે સૂર્યાની ખોટ હતી.
35 વર્ષીય સૂર્યકુમારે અમદાવાદમાં વિજય નોંધાવ્યા બાદ કહ્યું, “અમે શ્રેણીની શરૂઆતથી જ જે પ્રકારનું ક્રિકેટ રમવા માંગતા હતા તે રમ્યા. અમે કંઈ અલગ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. અમે દરેક વિભાગમાં ડર્યા વિના રમવા માગતા હતા અને પરિણામો બધાની સામે છે. હા, અમારી છેલ્લી કેટલીક સિરીઝમાં આ કંઈક ખૂટતું હતું. અમે નિર્ભય રીતે બેટિંગ કરવા માગતા હતા અને આજે પણ તે જ રીતે ચાલુ રાખવા અમે ઈચ્છતા હતા. હા, અમે બુમરાહની ઓવરોને બચાવવા માગતા હતા, તેથી અમારી યોજના બુમરાહને પાવરપ્લેમાં એક ઓવર નાખવાની હતી, જેથી ડ્રિંક્સ પછી મધ્ય તબક્કામાં તેને નિયંત્રિત કરી શકાય અને પછી તેને ડેથ ઓવર માટે તૈયાર રાખવામાં આવે.
ભારતીય સુકાનીએ વધુમાં કહ્યું, “અમે ઘણી વખત દબાણમાં હતા. અમારી પાસે એક પડકાર હતો પરંતુ રમત એ છે કે તમે કેવી રીતે પ્રતિસાદ આપો છો અને છોકરાઓએ ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું. તે પડકારજનક હતી પરંતુ ખૂબ જ સારી શ્રેણી હતી. અમે લગભગ બધું જ કર્યું જે અમે કરવા માંગતા હતા. સંભવતઃ એકમાત્ર વસ્તુ જે અમે યોગ્ય રીતે મેનેજ કરી શક્યા ન હતા તે ‘સૂર્યા ધ બેટર’ શોધવાનું હતું, મને લાગે છે કે તે ક્યાંક ખોવાઈ ગયો હતો (જોકે હું ખરેખર એક મજબૂત ટીમ તરીકે સ્મિત કરીશ, હું ખુશ છું). જ્યારે પણ અમે મુશ્કેલીમાં હતા, ત્યારે હંમેશા કોઈક આગળ આવીને અમને બચાવે છે. આ બાબત એક કેપ્ટન તરીકે ખૂબ જ સારી લાગે છે.” ભારતે 21 જાન્યુઆરીથી શરૂ થનારી ટી-20 વર્લ્ડ કપ 2026 પહેલા ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી શ્રેણી રમવાની છે.

