દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં દિલ્હી પોલીસે એક શકમંદની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હોઈ શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી. સૂત્રોનું માનીએ તો દિલ્હી પોલીસના અધિકારીઓએ અમિત શાહને સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે અને ઘણા ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે. આ બ્લાસ્ટ બાદ મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસ કમિશ્નર સતીશ ગોલ્ચાએ જણાવ્યું કે આજે સાંજે લગભગ 6.53 કલાકે એક ધીમી ગતિએ ચાલતું વાહન લાલ લાઇટ પર થંભી ગયું અને તે જ વાહનમાં વિસ્ફોટ થયો. તેમણે કહ્યું કે વિસ્ફોટથી નજીકના વાહનોને ભારે નુકસાન થયું છે. તમામ તપાસ એજન્સીઓ, FSL અને NIAની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
તેમણે જણાવ્યું કે ઘટના સ્થળે કેટલાક લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે અમને ફોન કર્યો છે અને સમયાંતરે તમામ માહિતી તેમની સાથે શેર કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં એક શંકાસ્પદની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હોઈ શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

