ધુરંધર 2 એડવાન્સ બુકિંગ: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ ફિલ્મ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ તેના પેઇડ પ્રિવ્યૂ 18 માર્ચે એટલે કે આજે સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે ફિલ્મે રિલીઝ પહેલા જ જોરદાર કમાણી કરી લીધી છે, જેના કારણે તેની મોટી ઓપનિંગની આશા વધુ મજબૂત બની છે.
ફિલ્મના એડવાન્સ બુકિંગે બધાને ચોંકાવી દીધા છે. અહેવાલો અનુસાર, ફિલ્મ પેઇડ પ્રીવ્યૂ, ઓપનિંગ ડે અને ઓવરસીઝ બુકિંગ સહિત રૂ. 130 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. હવે પ્રીમિયર બાદ તેમાં વધુ વધારો થયો છે. રણવીર સિંહની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે, જેની અસર ટિકિટના વેચાણમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
પ્રથમ દિવસે 200 કરોડની ઓપનિંગનો અંદાજ છે
ફિલ્મની એડવાન્સ બુકિંગને જોતા કહેવામાં આવી રહ્યું છે કે ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ પહેલા દિવસે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. જો આવું થાય છે, તો ઓપનિંગ ડે પર 200 કરોડનો આંકડો પાર કરનારી તે પહેલી બોલિવૂડ ફિલ્મ હશે.
અત્યાર સુધી આ રેકોર્ડ સાઉથની ફિલ્મોના નામે છે, જેમાં ‘પુષ્પા 2’, ‘RRR’ અને ‘બાહુબલી 2’ જેવી મોટી ફિલ્મો સામેલ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ આ રેકોર્ડને પડકારી શકે છે.
એડવાન્સ બુકિંગના આંકડા
રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે એડવાન્સ બુકિંગથી લગભગ 42.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બ્લોક સીટો સાથે આ આંકડો 47.91 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.
અત્યાર સુધીમાં લગભગ 99 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે અને 12 હજારથી વધુ શો હાઉસફુલ થઈ ચૂક્યા છે. ફિલ્મે હિન્દી વર્ઝનથી જ 40 કરોડ રૂપિયાથી વધુની એડવાન્સ કમાણી કરી છે, જ્યારે તેલુગુ વર્ઝનને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ગુજરાત જેવા મોટા બજારોમાંથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

