યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ફરી એકવાર ઓછામાં ઓછા 60 દેશો પર ટેરિફ દબાણ લાવવા માટે નવી યોજના તૈયાર કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે જે દેશો બળજબરીથી મજૂરી કે ગુલામીના મામલા પર પ્રતિબંધ નથી લગાવતા તેમની સામે કલમ 301 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પની આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે.
કયા દેશો પર ટેરિફ ફરી વધી શકે છે?
ટેરિફ વધારવાની ધમકી આપનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન યુનિયન, ઈઝરાયેલ, ભારત, કતાર, સાઉદી અરેબિયા, ચીન અને રશિયાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં ઈરાન સંકટને કારણે ઊભી થયેલી સમસ્યાઓ વચ્ચે આ સમાચાર ખૂબ જ ચિંતાજનક છે.
યુદ્ધ કેવી રીતે સમાપ્ત થશે?
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થઈ રહ્યું નથી. તેના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ખમેનીના પુત્ર મોજતબા પણ અમેરિકન હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયા છે અને કોમામાં છે. દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખામેનીની નિંદા કરી, તેમને “રિવોલ્યુશનરી ગાર્ડ્સની કઠપૂતળી” ગણાવી.
નેતન્યાહુએ કહ્યું કે તેમના દેશના હુમલાઓ એવી સ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે કે જે ઈરાનના લોકો સરકારને ઉથલાવી શકે. ઈરાની જનતાને સંબોધતા નેતન્યાહુએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “તે તમારા હાથમાં છે.” “અમે શાસનના પતન માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ બનાવી રહ્યા છીએ.”
યુએસ સ્થિત સ્વતંત્ર દેખરેખ જૂથ આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઈવેન્ટ ડેટા (ACLED) અનુસાર, અસંમતિને દબાવવાની સરકારની ક્ષમતાને નબળી પાડવા માટે યુદ્ધ શરૂ થયું ત્યારથી યુએસ અને ઈઝરાયેલે ઈરાનમાં સુરક્ષા ચોકીઓને નિશાન બનાવી છે. મોજતબા ખમેનેઈ ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડ સાથે ગાઢ સંબંધો ધરાવે છે અને તેમના પિતા આયાતુલ્લા અલી ખામેની કરતાં પણ વધુ કટ્ટર હોવાનું માનવામાં આવે છે. તે ક્યાં છે તે હજુ જાણી શકાયું નથી.

