આક્રમક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે શુક્રવારે સ્વીકાર્યું કે એકમાત્ર ટેસ્ટમાં કેપ્ટન્સી કરવી એ શ્રેષ્ઠ સ્થિતિ નથી પરંતુ તે સન્માનની લાગણી અનુભવે છે. પંતનું કહેવું છે કે તે દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટીમાં શનિવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચના કઠિન પડકારો વિશે વધુ વિચારી રહ્યો નથી.
નિયમિત સુકાની શુભમન ગીલની ગેરહાજરીમાં ઋષભ પંત ગુવાહાટી ટેસ્ટનું સુકાન સંભાળશે. તે મહેન્દ્ર સિંહ ધોની પછી ટેસ્ટમાં ભારતની કેપ્ટનશીપ કરનારો બીજો વિકેટકીપર બેટ્સમેન હશે.
આ મેચ પહેલા નિયમિત સુકાની શુભમન ગિલ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો, ત્યારબાદ પંતને કેપ્ટનશીપ આપવામાં આવી હતી.
પંતે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘એક જ મેચ કેપ્ટન માટે શ્રેષ્ઠ વિકલ્પ નથી, પરંતુ મને આ સન્માન આપવા માટે હું BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ)નો આભારી છું. કેટલીકવાર જો તમે કોઈ મોટા પ્રસંગ વિશે વધુ પડતું વિચારો છો, તો તે મદદ કરતું નથી.

