વાસ્તુશાસ્ત્રની જેમ, ફેંગશુઈ આસપાસની ઉર્જાને સુધારવાની રીતો સૂચવે છે. ઘણા લોકો આ બંને વચ્ચેનો તફાવત સમજી શકતા નથી પરંતુ બંને એકબીજાથી તદ્દન અલગ છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં આપણી આસપાસ રાખવામાં આવેલી દરેક વસ્તુની વાતાવરણ પર ઊંડી અસર પડે છે. તેની અસર માત્ર પર્યાવરણ પર જ નહીં પરંતુ મન પર પણ સ્પષ્ટપણે જોવા મળે છે. આ કારણે ઘણી વખત એવું બને છે કે જ્યારે ઘરમાં બિનજરૂરી વસ્તુઓ જમા થવા લાગે છે ત્યારે મન ભારે લાગવા લાગે છે. સામાન્ય રીતે ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે તેઓ કોઈ પણ કારણ વગર ચિડાઈ જવા લાગે છે અને ઘરમાં હંમેશા ઝઘડો થતો રહે છે.
ફેંગશુઈમાં કહેવાયું છે કે આપણે સમય સમય પર ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓને હટાવતા રહેવું જોઈએ જે આપણા કોઈ કામની નથી અને તે ખરાબ પણ હોઈ શકે છે. જેમ જેમ આપણે આ કરીએ છીએ, તરત જ આપણી આસપાસની ઊર્જામાં ફેરફાર થાય છે અને વસ્તુઓમાં સુધારો થવા લાગે છે. તો ચાલો જાણીએ કે ઘરમાં રહેલી કઇ વસ્તુઓ પરેશાની જેવી સ્થિતિ સર્જે છે અને તેને સમયસર દૂર કરવી જોઇએ.
ઘરમાં શાંતિ લાવવા માટે દૂર કરો આ 4 વસ્તુઓ-
તૂટેલી ઘડિયાળ ફેંકી દો
ફેંગશુઈ અનુસાર તૂટેલી ઘડિયાળ આપણો સમય બગાડે છે. આવી ઘડિયાળ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. અટકેલી અને તૂટેલી ઘડિયાળ સારા સમયનો સંકેત આપતી નથી. એવું માનવામાં આવે છે કે અટકી ગયેલી ઘડિયાળ આપણા ઘણા કામ બંધ કરી દે છે. તેનાથી નીકળતી ઉર્જા ઘરનું વાતાવરણ પણ બગાડે છે. આ જ કારણ છે કે ચાલતી ઘડિયાળને સકારાત્મકતા તરીકે જોવામાં આવે છે.
ઘરમાંથી તૂટેલા વાસણો દૂર કરો
ઘણા લોકો તૂટેલા વાસણો એ આશાએ એકઠા કરે છે કે તે ભવિષ્યમાં ઉપયોગી થશે પણ એવું થતું નથી. આવી સ્થિતિમાં તૂટેલા વાસણો ઘરમાં નકારાત્મકતા લાવે છે અને તેની અસર આપણા સંબંધો પર પણ પડે છે. ફેંગશુઈમાં કહેવાયું છે કે ઘર જેટલું વ્યવસ્થિત હશે તેટલું આપણું જીવન વધુ વ્યવસ્થિત રહેશે. ફેંગશુઈ અનુસાર ખરાબ વાસણો સારા વિચારોનો નાશ કરે છે. આવી સ્થિતિમાં મનમાં માત્ર નકારાત્મકતા જ આવે છે.

