પાકિસ્તાને શ્રીલંકા સામેની આગામી T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. 15 ખેલાડીઓની આ ટીમમાં ન તો પૂર્વ કેપ્ટન બાબર આઝમનું નામ છે અને ન તો શાહીન આફ્રિદી જેવા પ્રીમિયમ ફાસ્ટ બોલરનું. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ચાહકોને ચિંતા છે કે PCB આ સ્ટાર ખેલાડીઓને T20 વર્લ્ડ કપ પહેલા કેવી રીતે બહાર કરી શકે છે. તો અમે તમને જણાવી દઈએ કે આ સ્ટાર ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવ્યા નથી, બલ્કે 4 ખેલાડીઓને કોઈ ખાસ કારણોસર પસંદ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 7 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે.
તો અમે તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી અને હરિસ રઉફ બિગ બેશ લીગ (BBL)માં તેમની પ્રતિબદ્ધતાઓને કારણે શ્રીલંકા સામેની આગામી T20I શ્રેણીમાં નહીં રમે.
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 7, 9 અને 11 જાન્યુઆરીએ ત્રણ ટી-20 મેચ રમાવાની છે. બિગ બેશ લીગ 25 જાન્યુઆરી સુધી ચાલશે. આવી સ્થિતિમાં આ પાકિસ્તાની ખેલાડીઓ દેશને પોતાની સેવાઓ આપી શકશે નહીં.

