ગોવર્ધન પૂજા 2025: ગોવર્ધન પૂજા દિવાળી પછી થાય છે. તે પ્રકૃતિ અને ગાયની પૂજાના સ્વરૂપ તરીકે કરવામાં આવે છે. આ તહેવાર બ્રજ (મથુરા, વૃંદાવન), ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણે પોતાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડીને ભગવાન ઈન્દ્રનો અહંકાર દૂર કર્યો હતો. તેને અન્નકૂટ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાનને 56 પ્રકારની વાનગીઓ જેમ કે દાળ, ભાત, મીઠાઈ, ફળ, શાકભાજી વગેરે ચઢાવવામાં આવે છે. ગોવર્ધન પૂજા દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ થાય છે. આ વર્ષે અમાવસ્યા તિથિ 21 ઓક્ટોબરની સાંજે પૂરી થઈ રહી છે. ઉદયતિથિ અનુસાર ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરે જ છે.
ગોવર્ધન પૂજા તારીખ અને સમય:
પ્રારંભ તારીખ: ઓક્ટોબર 21, સાંજે 5:54 કલાકે
સમાપ્તિ તારીખ: ઓક્ટોબર 22, રાત્રે 8:16
પૂજાનો શુભ સમય (22 ઓક્ટોબર 2025):
સવારે 6:26 થી 8:42 સુધી
બપોરે 3:29 થી 5:44 વાગ્યા સુધી

