રાજપાલ યાદવ તિહાર જેલમાં છે. ફિલ્મોમાં પોતાની કોમેડીથી બધાને હસાવનાર એક્ટર રાજપાલ યાદવ હાલમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ₹9 કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત ન મળતા અભિનેતાએ તિહાર જેલમાં આત્મસમર્પણ કરવું પડ્યું છે. સરેન્ડર કરતા પહેલા રાજપાલ યાદવે એક ઈમોશનલ સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેને સાંભળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજનીતિ જગતના કેટલાક મદદગાર હાથ પણ આગળ આવ્યા છે.
કોણે મદદની જાહેરાત કરી?
1.રાવ ઈન્દ્રજીત સિંહે જેમ ટ્યુન્સ પરિવાર વતી 1.11 કરોડ રૂપિયાની કાનૂની સહાય આપવાની જાહેરાત કરી છે.
2. જનશક્તિ જનતા દળ (JJD) ચીફ તેજ પ્રતાપ યાદવે જાહેરાત કરી છે કે તેઓ રાજપાલ યાદવને 11 લાખ રૂપિયાની સહાય આપશે.
3.KRKએ કહ્યું છે કે તેઓ રાજપાલ યાદવને 10 લાખ રૂપિયા આપવા તૈયાર છે.
4.ગુરમીત ચૌધરી, સલમાન ખાન, વરુણ ધવન, અજય દેવગન, ગુરુ રંધાવા અને સોનુ સૂદે પણ મદદનો હાથ લંબાવ્યો છે. જો કે, તેઓએ જાહેરાત કરી નથી કે તેઓ તેમને કેટલા પૈસા આપશે.

