શાહરૂખ ખાન અને કાજોલ ઇન્ડસ્ટ્રીના બે એવા મિત્રો છે જેમની મિત્રતા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. જ્યારે કાજોલ અને ટ્વિંકલ ખન્નાના ચેટ શો ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલની જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોએ વિચાર્યું કે શાહરૂખ ખાન પણ આ શોમાં ગેસ્ટ તરીકે હાજરી આપશે. જોકે, શોનો ફિનાલે એપિસોડ પણ થઈ ગયો છે અને શાહરુખ શોમાં આવ્યો નથી. હવે શાહરૂખ ખાને જણાવ્યું કે તે શોમાં કેમ ન પહોંચ્યો.
શાહરૂખ ખાન કાજોલના શોમાં કેમ ન આવ્યો?
બીબીસી એશિયન નેટવર્ક સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને કહ્યું, “હું અત્યારે ફિલ્મ કરી રહ્યો છું! મેં તેને (કાજોલ) કહ્યું હતું. મને ઈજા પણ થઈ હતી. મને ખાવાના ભાગ સિવાય ત્યાં આવવું ગમ્યું હોત; ત્યાં ખાવા માટે ઘણું બધું હતું!”
શાહરુખે કહ્યું- બધા એપિસોડ જોયા છે
તેણે વધુમાં ઉમેર્યું, “ટ્વીંકલ અને તમારા માટે મારી માફી, ખરેખર. હું તમને કહી દઉં કે, મેં તમામ એપિસોડ જોયા છે. આ મારી તપસ્યા છે કે હું તે શોમાં નહોતો, તેથી હું તમામ એપિસોડ જોઈ રહ્યો છું.”
આ મહેમાનો શોમાં આવ્યા હતા
કાજોલ અને ટ્વિંકલ ખન્નાના શોની વાત કરીએ તો આમિર ખાન, સલમાન ખાનથી લઈને ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાઓ આ ચેટ શોનો હિસ્સો બન્યા હતા. શોમાં આવનારા મહેમાનોની યાદીમાં ફરાહ ખાન, અનન્યા પાંડે, આલિયા ભટ્ટ, વરુણ ધવન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન, ગોવિંદા, ચંકી પાંડે, જાહ્નવી કપૂર, કરણ જોહર, સોનાક્ષી સિંહા, મનીષ મલ્હોત્રા, વિકી કૌશલ અને કૃતિ સેનન જેવા કલાકારોનો સમાવેશ થાય છે. શોના છેલ્લા એપિસોડમાં મહિલા ક્રિકેટ ટીમના જેમિમાહ રોડ્રિગ્સ અને શેફાલી વર્મા ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા.

