બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બુધવારે જણાવ્યું હતું કે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવા અંગેની તેની ચિંતાઓને દૂર કરવા માટે ICC તેની સાથે “નજીથી કામ કરવા માટે તૈયાર છે”. તેણે કહ્યું કે તે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ભાગીદારી માટે વ્યવહારુ ઉકેલ સુધી પહોંચવા માટે ICC સાથે રચનાત્મક વાતચીત ચાલુ રાખશે.
આ સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે BCCIની વિનંતી પર IPL ફ્રેન્ચાઈઝી KKRએ બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તાફિઝુર રહેમાનને તેની ટીમમાંથી બહાર કરી દીધો. જે બાદ બાંગ્લાદેશે ‘સુરક્ષાની ચિંતા’ને ટાંકીને T20 વર્લ્ડ કપ માટે ભારત ન આવવાની જાહેરાત કરી હતી. તેણે ICCને તેની વર્લ્ડ કપ મેચો ભારતની બહાર ખસેડવાની માંગ કરી છે. જો કે, અહેવાલો અનુસાર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ BCBને કહ્યું છે કે તેણે ભારત આવીને વર્લ્ડ કપ રમવો પડશે નહીં તો મેચ પોઇન્ટ ગુમાવવા પડશે. હવે બીસીબીનો દાવો છે કે તે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગે આઈસીસી સાથે વાતચીત કરી રહી છે.
BCBએ બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં ICC T20 વર્લ્ડ કપ રમી રહેલી બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ચિંતાઓ અને મેચોને અન્ય સ્થળે શિફ્ટ કરવાની ટીમની વિનંતી અંગે બોર્ડને ICCનો જવાબ મળ્યો છે. તેના પ્રતિભાવમાં, ICC એ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની સંપૂર્ણ અને અવિરત ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘આઈસીસીએ તેના દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા માટે BCB સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ખાતરી આપી હતી કે બોર્ડના ઇનપુટને આવકારવામાં આવશે અને ઇવેન્ટના વિગતવાર સુરક્ષા આયોજનમાં ધ્યાનમાં લેવામાં આવશે.

